Wednesday 18 September 2013

મહાભારતના ધ્રુષ્ટ્રાસ્ટ + શકુની + દુર્યોધન = નરેન્દ્ર મોદી

મહાભારતની કથા સાંભળતા સાંભળતા વિચાર આવ્યો ભાજપની કથા સંભળાવવાનો.મહાભારતની કથાના પાત્રો સાથે ભાજપની કથાના પાત્રોની સરખામણી કરી તો સમજાયું કે આ મોદીનું મહાભારત જ છે.શરૂઆત મહાભારતના સમયથી કરીશ..તો ચાલો સંભાળીએ મોદીનું મહાભારત......
          હું એક કવિ છું અને વાસ્તવિકતાને ચારેય આયામો થી જોય સકું છું.હું એક દર્પણ છું, પણ લોકો આ દર્પણ જોવાનું ભૂલી ગયા છે. એજ કારણ છે કે તેમને વાસ્તવિકતા સપાટ દેખાય છે, ઊંડી દેખાય છે અને એટલા માટે લોકો તેની વ્યાખ્યા કરવા માંગે છે, તેના પર ટીપ્પણી કરવા માંગે છે.કેમ કે વાસ્તવિકતાને સમજી શકે.પણ મારા માટે આવું કરવું જરૂરી નથી. હું મહાભારતની સંઘર્ષ કથા સંભળાવું છું, સમજાવતો નથી. કેમ કે આ કહાની દરેક લોકોને પોતાના સમય માં અલગ અલગ રીતે સમજવી પડશે.હા જો હું ભાગ્યનો માર્ગ હોત તો બની સકત કે હું કઈક બતાવવા નો પ્રયત્ન કરત.પણ હું કર્મમ નો માર્ગ છું.તો કર્મ માં બતાવવું શું અને ના બતાવવું શું???
         ગાંધાર નરેશ શકુનીએ પુરોચન સાથે સાંઠ ગાંઠ કરીને એક છડ્યંત્ર રચ્યું, અને શકુની સફળ પણ થઇ ગયો.તેવી જ રીતે મોદીએ પણ ભાજપ પ્રમુખ રાજનાથસિંહ સાથે મળી છડ્યંત્ર રચ્યું.જેમાં મોદી ગોવા બાદ દિલ્હીમાં પણ સફળ સાબિત થયા.શકુનીયે દુર્યોધન અને કરણ જેવા મહાવીરોને પણ છડ્યંત્રકારી બનાવી દીધા હતા તો મોદીએ રાજનાથ અને ગડકરીને છડ્યંત્રકારી બનાવી દીધા.મહાભારતના આ છડ્યંત્ર પર કોઈ ટીપ્પણીની આનાથી વધારે શું જરૂર છે કે હું ફક્ત શકુનીના કર્મોનો માર્ગ નથી, કેમ કે શકુનીના માર્ગ પર બીજા પણ ચાલે છે.એટલે કથા સાંભળો અને ટીપ્પણીની માયાજાળમાં ના પડો.યુધિષ્ઠિર પાંડવોની કામચલાઉ થયેલી રાજધાની વારણાવત જવાનો છે એ વાત પાક્કી થઇ ગઈ છે.તેમ મોદીએ પણ અડવાણીને વારણાવત પર જવા મજબુર કર્યા.પણ ફક્ત યુધીષ્ઠીરના જવાથી શકુનીનું કામ સીધું નહિ થાય. પ્રશ્ન એ છે કે બાકી ચાર પાંડવો અને કુંતીનું શું કરવામાં આવે????તો મોદી માટે પણ ફક્ત અડવાણીના જવાથી કામ પાર નહિ પડે.મોદી માટે અડવાણીની સાથે મુરલીમનોહર જોશી, જશવંતસિંહ, રવિશંકર પ્રસાદ અને શત્રુઘ્નસિંહા અને સુષ્મા સ્વરાજ પણ પડકારરૂપ છે.અને અડવાની સાથે આ બધાંને વારણાવત પર કેવી રીતે મોકલવા તેની મોદી તૈયારી કરી રહ્યા છે.
           તો હવે સવાલ એ થાય કે અડવાણીએ મોદીના વખાણ કરીને કઈ વિદુરનીતિ અપનાવી છે.મહાભારતની કથામાં ખનિકે યુધિષ્ઠિરને માત્ર એક ઉંદર જ ભેંટ નહોતો કર્યો .ખનિકે તે ઉંદર દાનમાં છુપાવીને વિદુરનીતિ ભેંટ કરી હતી.સાયદ વાજપાયીએ અડવાણીને કોઈ વિદુરનીતિ ભેંટ કરી હોય તેવું બની શકે.કેમ કે સફળતાનો માર્ગ ક્યારેક ક્યારેક ધરતીની અંદર પણ વહેતો હોય છે.મોદી ભલે છળકપટ કરીને PMના ઉમેદવાર બની ગયા હોય.પણ છળકપટ નિશ્રય વીરોને શોભા નથી દેતું.પણ એ જરૂરી છે કે રહસ્યની વાત માત્ર વિશ્વાસપાત્રને  બતાવવી જોઈએ.તો ખનિક દ્વારા વિદુરે એ સંદેશો મોકલ્યો કે આ વ્યક્તિ જે સામે ઉભો છે તે ઉંદરની જેમ તેમના દાંતથી ધરતીને ખોદીને લાક્ષાગૃહમાંથી બહાર નીકળવાનો રસ્તો બનાવશે.અને તમે ચુપ ચાપ નીકળી જજો.અને છડ્યંત્રકારીઓને એજ વિચારવા દેશો કે તે સફળ થઇ ગયા.આ સફળતાનો નશો તેમને સુવડાવી દેશે.અને તમે તેમનાથી દુર નીકળી શકશો, એ જ તમારી સફળતાનો માર્ગ છે.એટલે ખાનિકને આજ્ઞા આપો કે ધરતીમાંથી રસ્તો કરવાનું કામ શરું કરે.કદાચ અડવાણી મોદીને સફળતાના નશામાં રાખીને કોઈ વિદુરનીતિનો ઉપયોગ કરી શકે છે.અને મોદીની સામે નહિ તો ધરતીની અંદરથી કોઈ રસ્તો કરવા અડવાણી મથામણ કરી રહ્યા છે.પરંતુ અડવાણી પોતાનું રહસ્ય કોઈની પાસે ખોલશે તે સવાલ છે.કારણ કે હવે ભાજપમાં અડવાણી માટે કોઈ વિશ્વાસપાત્ર માણસ છે કે નહિ તે પણ એક સવાલ છે.ત્યારે અડવાણી લાક્ષાગૃહમાંથી બહાર નીકળવાનો રસ્તો કેમ બનાવશે તે એક રહસ્ય છે.
              મહાભારતમાં હસ્તિનાપુરના રાજ પરિવારમાં જે બન્યું હતું તે આજે ભાજપના કુટુંબમાં બની રહ્યું છે.ધ્રુષ્ટ્રાસ્ટની ઉચ્ચ આકાંક્ષા કુરુક્ષેત્રના મેદાન સુધી લઇ ગઈ.તેમ મોદીની ઉચ્ચ આકાંક્ષા ભાજપને  કુરુક્ષેત્રના મેદાન સુધી લઇ જશે ખરી?? મહાભારતમાં રાજનીતિ બે પ્રકારની હોય છે તેમ કેહવામાં આવ્યું છે.જેમાં એકનો આધાર પૈસા છે તો બીજીનો આધાર સત્યતા, એક રાજાના વ્યક્તિગત હિતોને અધીન હોય છે તો બીજી રાષ્ટ્રીય હિતોને અધીન હોય છે.એકનું લક્ષ્ય સિંહાસન પર બેઠું રહવાનું છે લ બીજીનું લક્ષ્ય જનસમુદાયના હદયમાં ઘર કરવું.ભાજપમાંથી રાજનીતિના આ બંને રસ્તાઓ નીકળી રહ્યા છે.મોદી રાજનાથની આંગળી પકડીને પહેલા રસ્તા પર ચાલી રહ્યા છે તો અડવાણી સંઘ-વાજ્પાયેની આંગળી પકડીને બીજા રસ્તા પર ચાલી રહ્યા છે.
             ૨૦૧૪મા લોકસભાના કુરુક્ષેત્રમાં લડાઈ ભાજપની જ છે.૨૦૧૪મા એ નક્કી થઇ જશે કે ભાજપમાંથી નીકળતા રાજનીતિના બે રસ્તાઓમાંથી કયો રસ્તો સાચો છે?કેમ કે મોદીના મહાભારતમાં કોઈ કૃષ્ણની ભૂમિકા નિભાવનાર નથી.નરેન્દ્ર મોદી ૨૦૧૪ના નશામાં સારથી વગરનો રથ લઈને જ નીકળી પડ્યા છે.તો અડવાણીને કોઈ સારથી મળતો નથી.ભાજપના ભીષ્મપિતામહ વાજપેયી પથારી વશ પડ્યા છે.ત્યારે મોદીનું મહાભારત કુરુક્ષેત્રના મેદાનમાં વિચારધારાને ટક્કર આપશે કે પછી કોંગ્રેસને.કારણ કે મોદીના મહાભારતમાં લડાઈ ભાજપની જ છે......

Tuesday 25 June 2013

દોઢ કરોડની ઉત્તરવહીઓનું કૌભાંડ

http://www.youtube.com/watch?v=kCOiZmGn7eM&feature=c4-overview&list=UUMX41X1am8oYxT336dqk4sA
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલ સતત વિવાદમાં છે.ત્યારે યુનિવર્સિટીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.યુનિવર્સિટીમાં $ દોઢ કરોડની ઉત્તરવહીઓનું કૌભાંડ સામે આવ્યુ છે.કુલપતિ આદેશ પાલે યુનિવર્સિટીના પ્રેસ મેનેજર અને પોતાની બનાવેલી ફાઈનાન્સિયલ એડવાઈઝરી કમિટી અને પૂર્વ ઈન્ચાર્જ રજિસ્ટ્રારને ઉત્તરવહીઓ છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

કુલપતિ આદેશપાલે 13 ડિસેમ્બર 2012ના રોજ કોન્ફીસેક કંપનીને $ દોઢ કરોડનો ઉત્તરવહી છાપવાનો કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કરી ગેરરીતિ કર્યાનો આક્ષેપ થયો છે.કોન્ફીસેક કંપનીનો પ્રશ્નપત્ર છાપવાનો કોન્ટ્રાક્ટ 31 ડિસેમ્બર 2012ના રોજ પુરો થતો હતો. પરંતુ આદેશ પાલે બનાવેલી ફાઈનાન્સિયલ એડવાઈઝરી કમિટી પાસે સિન્ડિકેટને ભલામણ કરાવી કે ઉત્તરવહી છપાવાનો કોન્ટ્રાક્ટ વધુ એક વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2013થી 31 ડિસેમ્બર 2013 સુધી જુના ભાવે લંબાવવામાં આવે. 

સિન્ડિકેટ સભ્ય હિમાંશુ પટેલે આક્ષેપ કર્યો છે કે ટેન્ડર વીના કોન્ફીસેક કંપનીને આપતા ખાનગી ઈજારેદારને $ દોઢ કરોડનો ફાયદો થયો છે, અને યુનિવર્સિટીને કરોડોનું નુકશાન થયું છે.મહત્વનું છે કે યુનિવર્સિટીના પ્રેસ મેનેજરે પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી સામે 2010માં પોલીસ ફરીયાદ કરી હતી કે 2004થી 2006 સુધી તમામ ઉત્તરવહીઓ યુનિવર્સિટીના પ્રેસમાં 60 લાખના ખર્ચે છપાતી હતી. પરંતુ ઉત્તરવહીઓ અન્ય છપાવતા $ સાડા નવ કરોડનો ખર્ચ થાય છે.  આદેશ પાલે આપેલા કોન્ટ્રાક્ટમા પ્રેસ મેનેજર આ કોન્ટ્રાક્ટ કોન્ફીસેકને આપવાની સંમતી આપી કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ થયો છે. પ્રેસ મેનેજરે પ્રદિપ પ્રજાપતિની દોરવણીમાં પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી સામે ફરિયાદ કરી હતી.  

લોકલ ફંડે પોતાના રીપોર્ટમાં પ્રશ્નપત્રો યુનિવર્સિટીની  પ્રેસમાં છપાવવા જાણ કરેલી છે.આ વાત યુનિવર્સિટીના પ્રેસ મેનેજરે જ કહી હતી. ફાયનાન્સ કમિટી કે સિન્ડિકેટની મંજુરી વગર યુનિવર્સિટીનું પ્રેસ હોવા છતાં યુનિવર્સિટીના નિયમોનું ઉલંઘન કરીને ટેન્ડર પ્રક્રિયા વીના કરવામાં આવેલા આ કરારમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. પ્રદિપ પ્રજાપતિએ પણ આ અંગે પૂર્વ કુલપતિ સામે પોલીસ કેસ કરેલો છે. તો અત્યારે કેમ બધી કાર્યવાહીઓ પ્રદિપ પ્રજાપતિને કાયદેસર કેમ લાગે છે તે પણ એક સવાલ છે. 

Saturday 22 June 2013

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં




ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં સપડાયા છે. કુલપતિ સામે આક્ષેપ છે કે એમણે શ્રી કમ્પ્યુટર કંપનીને લાભ કરાવ્યો છે. કંપની સાથે સાઠગાંઠ કરી 55 લાખનો બારકોડ પ્રોસેસિંગનો કોન્ટ્રાક્ટ આપતા કુલપતિએ વિવાદ વહોર્યો છે.  
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ મૂકાયો છે. આદેશ પાલે ખાનગી ઈજારેદાર શ્રી કોમ્પ્યુટરને ટેન્ડરે કે નિયમ વિના જ 50 લાખ બારકોડ સ્ટીકર છાપવાનો કોન્ટ્રાકટ આપ્યો છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હિમાંશુ પટેલે આક્ષેપ કર્યો છે કે આદેશ પાલે શ્રી કોમ્પ્યુટરને લાભ કરાવી આપી પોતે કમિશન મેળવી ભ્રષ્ટાચાર કર્યો છે.

શ્રી કોમ્પ્યુટરને 11 ફેબ્રુઆરી 2011ની સિન્ડિકેટની મંજુરીથી પ્રથમ તબક્કામાં 1 માર્ચ 2011થી 29 ફેબ્રુઆરી 2012 સુધી બારકોડ સ્ટીકર છાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 14 ફેબ્રુઆરી 2013ના રોજ આદેશ પાલે રચેલી નિયમ વિરૂધ્ધની ફાયનાન્સ એડવાઈઝરી કમીટીમાં ભલામણો કરાઈ. કે શ્રી કોમપ્યુટરની કામગીરી સંતોષકારક છે. સમયનો અભાવ હોવાનું જણાવી શ્રી કોમપ્યુટરને 1 માર્ચ 2013થી 28 ફેબ્રુઆરી 2014 સુધી બારકોડ પ્રોસેશસગનો કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કમિટી પાસે ભલામણ કરાઈ. અને તે પણ અગાઉના વર્ષના ભાવ અને શરતો પ્રમાણે જ.. 

આ ભલામણના આધારે આદેશ પાલે યુનિવર્સિટીના સ્ટેસ્યુટ 11/4 હેઠળ શ્રી કોમ્પ્યુટરને 55 લાખનો કોન્ટ્રાક્ટ આપી દીધો. આદેશ પાલે ફાયનાન્સ કમિટી કે સિન્ડિકેટની મંજુરી સિવાય અંગત લાભ માટે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર કૌભાંડ મુદ્દે તપાસ કરવામાં આવે તે માટે રાજ્યપાલ સુધી રજૂઆત કરવામાં આવશે. અને જરૂર પડયે પોલીસ ફરિયાદ કરવાની પણ સિન્ડિકેટ સભ્યે ચીમકી ઉચ્ચારી છે.

Thursday 20 June 2013

क्या २०१४ में मोदी बनाम राहुल होगा???

देश की सभी राजनैतिक पार्टिया २०१४ की लोक सभा चुनाव की तयारी में लगी है.देश का सबसे बड़ा विपक्षीय दल भाजपा हिंदुत्व के आधार पर लोकसभा का चुनाव जितने की मन चाही कोशिशे कर रही है.भाजपा ने २०१४ के चुनाव में PM के उम्मीदवार के तोर पर नरेन्द्र मोदी को आगे कर रही है.इधर कोंग्रेस भी मोदी के सामने राहुल बाबा को आगे कर रही है.लेकिन दोनों पार्टिया खुलकर अपने उम्मीदवारों की घोषणा नहीं कर रहें है.क्या २०१४ का चुनाव मोदी बनाम राहुल होगा???

देश की राजनीति को देखते हुए ये मुकाबला मोदी बनाम राहुल नहीं होंगा.क्यू की कश्मीर से लेके कन्याकुमारी तक अनेक राजनैतिक दल है.जो लोकसभा चुनाव में महत्वपूर्ण भूमिका में है.कोंग्रेस और भाजपा दोनों के खिलाफ "एंटी इन्कम्बंसी" है.कोंग्रेस के सामने महंगाई, भ्रष्टाचार और प्रशाशनिक चुनोतिया है.तो भाजपा के सामने मोदी को लेकर पार्टी का आतंरिक विरोध और दो खेमे में बँटी भाजपा को एक करने की चुनोती है.ऐसे में भाजपा मोदी को आगे करना नहीं चाहती और कोंग्रेस राहुल को  आगे नहीं कर रही है.क्यू की अगर मोदी को आगे करके भाजपा चुनाव हर जाती तो मोदी का पोलिटिकल करियर ख़तम हो जायेगा.और कोंग्रेस राहुल को आगे कर के चुनाव हारेगी तो राजकुवर का करियर ख़तम हो जायेगा.यानि की दोनों पार्टिया अपने अपने वजीर को बचा कर रखना चाहती है और वजीर के दम पर चुनाव भी जितना चाहती है.

सबको मालूम है की अगर भाजपा २७२ का जादुई आंकड़ा हांसिल कर लेगी तो PM का उम्मीदवार मोदी ही होगा.और भाजपा मोदी के नाम को लेकर अब पीछे हटना नहीं छाहती.दूसरी और मनमोहनसिंह ने इशारा कर दिया है की राहुल गाँधी PM की जिमेदारी ले शकते है.ऐसे में आतंरिक तोर पर २०१४ की लड़ाई मोदी बनाम राहुल है.लेकिन दोनों पार्टिया चुनाव के चित्र सामने नहीं आएगा तब तक अपना उम्मीदवार खुलकर सामने नहीं रखेंगे.जब NDA का गठन हुवा था तब NDA में २४ घटक दल थे.आज NDA में २४ में से २ घटक दल बचे है.ऐसे में भाजपा के लिए २७२ का जादुई आंकड़ा हांसिल करने में बहुत मुश्किलें है.कोंग्रेस भी घटक दल की खोज में है.देश के सबसे बड़े घटक दल BSP, JDU, SP, RJD, TMC, BJD चुनाव के पहले UPA या NDA में नहीं जुड़ेंगे.ये सब दल चुनाव के बाद किस तरफ जाना है वो तय करेंगे.चुनाव के बाद जिसके पास ज्यादा सीटे होंगी उसके साथ ये दल जायेंगे.

अब हम २०१४ में भाजपा, कोंग्रेस और स्थानिक दलों को स्टेट वाइज कितनी सीटे मिल शकेंगी उसका विश्लेषण करेंगे.उसके लिए आप मेरा ब्लॉग को देखते रहें.

Wednesday 19 June 2013

मोदी गुजरात के किसानो की चिंता करे

नरेद्र मोदी को ये कौन समजायेगा की वो दिल्ही की चिंता छोड़ कर गुजरात के किसानो की चिंता करे.मोदी के सामने कल सुरेन्द्रनगर और पाटन के किसानो ने हांसलपुर SIR के विरोध में गांधीनगर तक ट्रेक्टर रेली नीकाली.लेकिन मोदी को किसानो की चिंता नहीं है.किसान गांधीनगर में अपनी जमीन के लिए लड़ रहे थे और मोदी दिल्ही में आडवानी के साथ गुपचुप कर रहे थे.मोदी बिहार की चिंता कर रहे है, मोदी up की चिंता कर रहे है, मोदी राजस्थान की चिंता कर रहे है लेकिन उनको गुजरात के किसानो की चिंता क्यों नहीं होती.तिन लाख बीघा खेतो की जमीन मोदीने SIR में सम्पादित कर दी.जिसके सामने किसान अपना विरोध जता रहे है और SIR हटाने की बात कर रहे है, SIR नहीं हटायेगे तो सरकार हटाने का किसानो ने फेंसला कर लिया है.बात ये है की अहमदाबाद, सुरेंद्रनगर, पाटन और मेहसाणा जिले के 70 गांवों में 50.884 हेक्टेयर जमीन को बहुचराजी-मांडल में सरकार ने विशेष निवेश रीजन की अधिसूचना प्रकाशित करके रातोंरात भाजपा विधायकों, मंत्रियों और भाजपा पदाधिकारिओं की मिलीभगत से किसानों की जमीन पर सस्ते दाम खरीद, करोड़ों डॉलर कमाने के लिए ""सर"" का लेबल चिपकाने का खेल होने का दावा खुले तौर पर किया जा रहा है. पिछले दो - तीन साल से गृह राज्य मंत्री रजनी पटेल, मांडल के विधायक रह चुके प्रागजीभई पटेल, कमाभई राठोड आदि नेताओं ने मेलमिलाप में छोटे गरीब किसानों से उनकी महेंगी जमीन सस्ते दामों में खरीद ली थी. भाजपा महासचिव शंकर चौधरीने भी किसानो को अँधेरे में रखकर पाटन और सूरत भाजपा विधायकों, उच्च पदाधिकारिओं के साथ मिलजुल कर जमीनें खरीदकर किसानों को ठगा है. कुछ स्थानीय किसानों के पास भूमि बची है और वे अभी भी अपनी जिम खेती के सिवा किसी को देने के लिए नहीं राजी नहीं है. फिर भी भाजपा के पदाधिकारी, मंत्रिओं और विधायकों के मेलमिलाप में गरीब किसानों को परेशान किया जा रहा है.किसान जमीन देने को तैयार नहीं है और मोदी के मंत्री और विधायक कसानो को सुनने के लिए तैयार नहीं है.किसानो ने तय कर लिया है की वो मरते दम तक इसका विरोध करेंगे और SIR  नहीं होने देंगे.सायद मोदी को इन किसानो की चिंता नहीं है.मोदी को दिल्ही की चिंता है.

Tuesday 18 June 2013

જાન દેંગે, જમીન નહીં, મહુવા સત્યાગ્રહ - એક નજર, ડોળિયાથી ગાંધીનગર ૩૫૦ કિલોમીટરની પેસેન્જર યાત્રા



૩ માર્ચ 2012 ડોળિયાથી પ્રસ્થાન. અનેક મુશ્કેલીઓ વચ્ચે ૧૭ માર્ચે ગાંધીનગર સચિવાલયે પહોંચ્યા.

મહુવા તાલુકાના ૧૩૫થી વધુ ગામોના ૫૦૦૦થી વધારે ખેડૂત ભાઈ-બહેનો જોડાયા

જેમાં અસરગ્રસ્ત નવ ગામોના લોકો ઘરે તાળા મારીને બાળકો-વૃધ્ધો સહીત રસ્તા પર નીકળી પડ્યા.

 બે વર્ષથી ચાલી રહેલા અહિંસક આંદોલનના મળવા જેવા મહિલા ક્રાંતિકારી કડવીબેન 

બોર્ડની પરીક્ષા તો આવતા વર્ષે આવશે પણ ગયેલી જમીન નહીં આવે.
 
મોદીથી થાકેલો મોતી,મહુવા સત્યાગ્રહમાં ખેડૂતોની સાથે જોડાયેલો દેશી કૂતરો મોતિયો

એભાઈ......અમારું પણ કંઈક કરજો હો.......

 આહા!!! કેટલી નિર્દોષતા વચ્ચે પણ આક્રોશ 
સમાયેલો દેખાય છે.

 સો વાતનીએક જ વાત,જાન દેંગે, જમીન નહીં

મહુવા પદયાત્રામાં પરંપરાગત પહેરવેશથી સજ્જ રાજસ્થાની યુવતીઓને કેમેરામાં કેદ કરતા ફોરેનર.
 
એ હાલો ગાંધીનગર

 જમીન તો રહી નથી, 
હવે સુ કામનું જેસીબી!!!

ઐસા દેશ હે મેરા...........
ઇસમે ગુજરાત હે કહાઁ........
...

હાથમાં લાકડી.....પછી આગળ સમજી શકાય છે.
એ ઉભા રે'જો ........જરાક બેટરી ભરી લઉં.......

હા'તી અમેય નિહાઈરમાં રાજા પાળીને આઇવા હો.....

આયા મોસમ ઠંડે ઠંડે તરબૂચ ખાને કા.....
અને છેલ્લે

ગામની જમીન ગામની, સરકારની નહીં.જાન દેંગે, જમીન નહીં
તો મિત્રો આ જલક હતી સરકાર અને ઉદ્યોગ સામે લડી રહેલા મહુવા તાલુકાના ખેડૂત ભાઈ-બહેનોની. મહુવા તાલુકાના નવ ગામોની જમીન સરકારે જમીનમાં રહેલા ચૂનાના પત્થર ખોદવા માટે નીરમાં સિમેન્ટ કંપનીને ખેડૂતોને પૂછ્યા વિના જ આપી દીધી. તેની સામે ત્યાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી ગાંધી ચિંધ્યા માર્ગે જળ, જમીન અને જંગલ બચાવો સત્યાગ્રહ ચલાવી રહ્યા છે. અને આ સત્યાગ્રહ ગુજરાતના ખેડૂતોને હંમેશા પોતાના અધિકારો માટે લડવાની હિંમત પૂરી પડશે.
એક નજર આ તરફ પણ....





 મોદીએ આપેલા જવાબો પરથી તમને નથી લાગતું કે મોદીને જ હટાવવાની જરૂર છે એવું.......
અહેવાલ સંકલન દિપેન પઢિયાર

Monday 17 June 2013

ગુજરાતીઓ અંગ્રેજી નથી બોલી શકતા-સામ પિત્રોડા

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં શિક્ષણ ક્ષેત્રે  અનેક સિદ્ધિઓ હાંસલ કરી હોવાના ગાણા ગવાય રહ્યા છે.ત્યારે બીજી તરફ સામ પીત્રોડાયે કહ્યું કે નોલેજ કમિશનના રીપોર્ટ મુજબ ગુજરાતની યુનીવર્સીટીઓનું સ્ટાન્ડર્ડ સારું નથી.ગુજરાતમાં હાયર એજ્યુકેશન સિસ્ટમને ઈમ્પ્રુવ કરવાની જરૂર છે.ગુજરાતી છોકરાઓ અંગ્રેજી ના બોલી શકે તે કેમ ચાલે.આ શબ્દો હતા સામ પિત્રોડાના જેને આપની એજ્યુકેશન સિસ્ટમને ખુલ્લી પડી દીધી.વધુમાં તેમણે કહ્યું કે આપને જોબ નથી કરવાની પણ જોબનું સર્જન કરવાનું છે.કોલેજો યુનીવર્સીટીઓ કરતા સ્વતંત્ર હોવી જોઈએ.જે વોકેશનલ ટ્રેનીગ તરફ ભાર મુકે.તેમણે કહ્યું કે હું ભારતને ક્લીન અને ગ્રીન બનાવવા માંગું છું.અમદાવાદમાં પડેલા ઠેર ઠેર કચરા અને ગંદકીના સામ પીત્રોડાયે ભાર પેટે વખાણ કરતા કહ્યું કે ખાનપુરમાં લોકો જ્યાં ટોઇલેટ કરે છે ત્યાં જ જમે છે.આનો એક માત્ર ઉપાય ટેકનોલોજી છે.આવનાર ૩૦-૪૦ વરસમાં ટેકનોલોજી દરેકને સરખી તક આપશે.અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટીના કન્વેન્શન હોલમાં પીત્રોડાયે ૩ હજાર સ્કુલના બાળકોને ૨૧મી સદીના નવા વિશ્વ અને નવા ભારત વિષે વાત કરતી વખતે આ વાત કરી હતી.હાલ સામ પિત્રોડા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સલાહકાર છે.તેમની વાત પરથી લાગ્યું કે દેશને વધુ એક સામ પિત્રોડા અને રાજીવ ગાંધીની જરૂર છે.પિત્રોડા ૧થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં સંબોધન કરી રહ્યા હતા.મને લાગ્યું કે વિદ્યાર્થીઓ સામ પિત્રોડાની વાત સમજે છે.પરંતુ સામ પીત્રોડાયે સંબોધન બાદ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાનું કહ્યું તો એક વિદ્યાર્થીએ અંગ્રેજીમાં પ્રશ્ન કર્યો.પરંતુ સામ તેને સમજી ના શક્યા.એટલે સામે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પ્રશ્નો પૂછવાની છૂટ આપી.ત્યારે મને લાગ્યું કે સામ સમજી ગયા છે કે ગુજરાતીઓ અંગ્રેજી સમજી શકે છે પણ સારી રીતે બોલી શકતા નથી?